NEET UG 2026: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લાંબા સમયથી રાહ જોવાતી NEET UG 2026ની પુનઃપરીક્ષા (Re-examination) માટેનું એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ 21 જૂન, 2026ના રોજ યોજાનારી આ મહત્વપૂર્ણ પરીક્ષામાં બેસવાના છે, તેઓ હવે અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા આટલું ખાસ કરો
NTA એ વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વની સૂચના જારી કરી છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા, વિદ્યાર્થીઓએ રિફંડની પ્રક્રિયા માટે પોતાના બેંક ખાતાની વિગતો પોર્ટલ પર અપડેટ અને વેરિફાય કરવાની રહેશે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
પોર્ટલ પર અપડેટ કરવા માટે તૈયાર રાખો આ દસ્તાવેજો
પોર્ટલ પર ટ્રાફિક અને સર્વર લોડને ધ્યાનમાં રાખીને, નીચેની વિગતો પહેલેથી તૈયાર રાખવી હિતાવહ છે જેથી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય-
- બેંક રેકોર્ડ મુજબનું પૂરું નામ
- બેંક એકાઉન્ટ નંબર
- IFSC કોડ
- કેન્સલ કરેલા ચેકની સ્કેન કરેલી નકલ
પરીક્ષાનો સમય અને ગાઈડલાઈન
NEET UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂન, 2026ના રોજ યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષાની કુલ સમયમર્યાદા 3 કલાક 15 મિનિટની રહેશે. તમામ ઉમેદવારોને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે સલાહ આપવામાં આવે છે. એડમિટ કાર્ડમાં પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ છાપવામાં આવી છે, જેનું ધ્યાનપૂર્વક પાલન કરવું અનિવાર્ય છે.
સુરક્ષા વ્યવસ્થા: પ્રશ્નપત્ર પહોંચાડવા માટે વાયુસેનાની મદદ
પરીક્ષાની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વખતે NTA એ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પ્રશ્નપત્રોને દિલ્હીથી દેશના 18 મુખ્ય સ્થળો સુધી પહોંચાડવા માટે ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આ પેપર્સને ત્યારબાદ સેનાના લોજિસ્ટિક સેન્ટર્સ મારફતે દેશભરના 551 પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની જવાબદારી આર્મી અને પેરા-મિલિટરી ફોર્સને સોંપવામાં આવી છે.
કોઈપણ મૂંઝવણ માટે હેલ્પલાઈન નંબર
જો વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કે અન્ય કોઈ તકનીકી મુશ્કેલી પડે, તો તેઓ NTAની હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે-
હેલ્પલાઈન નંબર્સ: 011-40759000 / 011-69227700
નિષ્ણાંતોની સલાહ: વિદ્યાર્થીઓએ માત્ર NTA ના સત્તાવાર કમ્યુનિકેશન ચેનલો પર જ વિશ્વાસ રાખવો અને કોઈપણ અફવાઓથી દૂર રહેવું.
