બાથરૂમમાં મીઠું કેમ રાખવું જોઈએ ?


By Kajal Chauhan08, May 2025 04:44 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્રમાં બાથરૂમ સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું પાલન વ્યક્તિએ કરવું જોઈએ. ચાલો જાણીએ બાથરૂમમાં મીઠું રાખવાના ફાયદા

નકારાત્મક ઉર્જા દૂર કરે

વાસ્તુ અનુસાર બાથરૂમની અંદર એક વાટકીમાં મીઠું રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

પૈસાની અછત દૂર થાય

બાથરૂમમાં કાચના વાસણમાં મીઠું રાખવાથી પૈસાની અછત દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

દેવી લક્ષ્મીનું આગમન

બાથરૂમમાં મીઠાથી ભરેલો વાટકો રાખવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

કઈ દિશામાં રાખવું જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મીઠું રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

ક્યારે રાખવું જોઈએ

વાસ્તુ અનુસાર મંગળવાર કે શનિવારે બાથરૂમમાં મીઠું રાખવું સારું માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે.

Lord Hanuman: હનુમાનજીને કયું ફૂલ ન ચઢાવવું જોઈએ?