મહિલાઓએ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ કે નહિ ?


By Kajal Chauhan14, Dec 2024 05:39 PMgujaratijagran.com

હનુમાનજીને સ્પર્શ કરવો કે નહિ

હિન્દુ ધર્મમાં શનિવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. પરંતુ તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મહિલાઓએ હનુમાનજીની મૂર્તિને હાથ ન લગાવવો જોઈએ. આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે શું મહિલાઓએ ખરેખર બરજાંગલીની પ્રતિમાને સ્પર્શ કરવો જોઈએ કે નહિ.

મૂર્તિને સ્પર્શ કેમ ન કરવો ?

મહિલાઓ દ્વારા હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે તેઓ પહેલા બાળ બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી આસક્તિ અને મોહથી દૂર રહે છે. આ જ કારણ છે કે મહિલાઓને હનુમાનજીની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે.

બજરંગબલીના ચરણ સ્પર્શ ન કરવા

એવું માનવામાં આવે છે કે મહિલાઓએ ભૂલથી પણ બજરંગબલીના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ. આવું કરવાથી તમને અશુભ પરિણામ મળી શકે છે.

દૂરથી પૂજા કરો

મહિલાઓ પોતાના પરિવારના કોઈ પુરુષ દ્વારા બજરંગબલીની પૂજા કરી શકે છે.

સ્ત્રીઓએ કેવી રીતે પૂજા કરવી જોઈએ ?

સ્ત્રીઓ હનુમાનજીને સ્પર્શ કર્યા વિના તેમની પૂજા કરી શકે છો. પૂજા દરમિયાન તેમને સિંદૂર ન ચઢાવવું જોઈએ અને પંચામૃત સ્નાન પણ ન આપવું જોઈએ.

હનુમાનજીની પૂજા કરવાની રીત

મહિલાઓએ પૂજા દરમિયાન માથું ન નમાવવું જોઈએ. તમે તેમને દૂરથી ફૂલ અને ઘરે બનાવેલા ભોગ અર્પણ કરી શકો છો.

શનિવારે આ પક્ષીને રોટલી ખવડાવો, શનિદેવ પ્રસન્ન થશે