આ વર્ષે દહી હાંડી ઉત્સવ ક્યારે ઉજવાશે? જાણો શુભ મુહૂર્ત


By Bhavesh Chaudhary31, Jul 2024 05:05 PMgujaratijagran.com

દહી-હાંડી તહેવાર

ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે દહી હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે.

ક્યાં-ક્યાં ઉજવાય છે

દહી હાંડીનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ધામધુમથી ઉજવવામાં આવે છે.

દહી હાંડી ઉત્સવ

આ તહેવાર એક રમતગમતની સ્પર્ઘા તરીકે ઉજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે.

ક્યારે ઉજવાય છે

જન્માષ્ટમીના બીજા દિવસે સવારે દહી હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 27 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

મટકી ફોડ

ધાર્મિક કથાઓમાં એવુ વર્ણન કરવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળ સ્વરૂપમાં તેમના મિત્રો સાથે મટકી ફોડતા હતા.

દહી-માખણ

આ તહેવારમાં લોકો ગામના ચોરે ભેગા થાય છે અને દહી અથવા માખણ ભરેલી મટકી ઉંચે બાંધે છે. બાદમાં લોકોનું પિરામિડ બનાવીને તે મટકી ફોડીને તહેવારની ઉજવણી કરે છે.

ભક્તો દર્શન માટે આવે છે

આ ઉત્સવમાં હજારો ભક્તો ભાગ લે છે અને દર્શન માટે આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં બાલગોપાલને યાદ કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

શ્રી કૃષ્ણના આશીર્વાદ

દહી હાંડીનો પવિત્ર તહેવાર આ વર્ષે 27મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે, દહી હાંડી મનાવવાથી ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો શ્રાવણના સોમવારે ઉપવાસ કેમ રાખવામાં આવે છે?