શ્રાવણ મહિનો શિવ ભગવાનનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે ધરતી પર આવે છે.
શિવ ભગવાનની કૃપાથી જીવનમાં સુખ આવે છે. જેના માટે ભક્તો ભગવાન શિવના આશીર્વાદ માટે વિવિધ પ્રકારના ઉપાયો કરતા હોય છે.
અમે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું, જેને અપનાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.
શ્રાવણ મહિનામાં શિવલિંગની સ્થાપના ઉત્તર-પૂર્વ દિશામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં શિવલિંગની સ્થાપના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શિવલિંગની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપના કરી તેની સાથે રુદ્રાક્ષ રાખવો તે વાસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં ઘરના મુખ્ય દરવાજા આગળ ગંગાજળનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
શ્રાવણ મહિનામાં શમીનો છોડ લગાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના ફોટોને ઉત્તર દિશામાં લગાવીને આંબાના પાનની માળાથી સજાવવામાં આવે તો સારા ફળની પ્રાપ્તિ થાય છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.