Astrology Tips: શ્રાવણ મહિનામાં કરો આ વાસ્તુ ઉપાય, ભગવાન ભોલેનાથ થશે પ્રસન્ન


By Bhavesh Chaudhary27, Jul 2024 04:00 PMgujaratijagran.com

શ્રાવણ મહિનો

શ્રાવણ મહિનો શિવ ભગવાનનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે ધરતી પર આવે છે.

શિવની કૃપા

શિવ ભગવાનની કૃપાથી જીવનમાં સુખ આવે છે. જેના માટે ભક્તો ભગવાન શિવના આશીર્વાદ માટે વિવિધ પ્રકારના ઉપાયો કરતા હોય છે.

આ વાસ્તુ ટિપ્સ અનુસરો

અમે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું, જેને અપનાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.

શિવલિંગની સ્થાપના કરો

શ્રાવણ મહિનામાં શિવલિંગની સ્થાપના ઉત્તર-પૂર્વ દિશામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં શિવલિંગની સ્થાપના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગની પાસે રુદ્રાક્ષ રાખો

શિવલિંગની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપના કરી તેની સાથે રુદ્રાક્ષ રાખવો તે વાસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે.

ગંગાજળનો છંટકાવ કરો

શ્રાવણ મહિનામાં ઘરના મુખ્ય દરવાજા આગળ ગંગાજળનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

શમીનો છોડ લગાવો

શ્રાવણ મહિનામાં શમીનો છોડ લગાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવનો ફોટો

શ્રાવણ મહિનામાં ભગવાન શિવના ફોટોને ઉત્તર દિશામાં લગાવીને આંબાના પાનની માળાથી સજાવવામાં આવે તો સારા ફળની પ્રાપ્તિ થાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Guggal Dhoop: ગૂગળનો ધૂપ કરવાથી ઘરમાં શું બદલાવ આવે છે, જાણી લો