લગ્ન પહેલા લોકો કુંડળી મેચ કરતા હોય છે, આ અંગે જયા કિશોરીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
થોડા સમય પહેલા એક પોડકાસ્ટમાં જયા કિશોરીને લગ્ન પહેલા જન્માક્ષર મેચ કરવા અંગે પુછવામાં આવ્યું હતું.
આ અંગે જયા કિશોરીએ કહ્યું કે, હું જ્યોતિષી નથી તેથી ઙું તેના વિશે સંપૂર્ણ જાણકાર નથી અને મેં આખુ જ્યોતિષ વાંચ્યુ નથી તેથી મને નથી ખબર, પરંતુ હું જ્યોતિષમાં માનું છું.
તમે ઘણી વાર લગ્નોમાં જોયું હશે કે ગોઠવાયેલા લગ્નોમાં કુંડળી જોવડાવતા હોય છે અને જો કુંડળી મેચ ન થાય તો લગ્ન નથી કરતા.
પ્રેમ લગ્નમાં હું કહીશ કે, તમે લગ્ન માટે ખૂબ રાહ જોયા પછી કુંડળી નકારાત્મક જવાબ આપી રહી , છે તો તમારે પ્રેમ લગ્ન માટે પણ તૈયાર રહેવું જોઈએ.
તમે રિલેશનશિપમાં રહો પરંતુ તેના માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે પત્રિકા 100 ટકા સાચું નથી કહેતી, જ્યોતિષો પણ આવું કહે છે.
જ્યારે તમે કોઈને કુંડળી જોવાનું કહેશો, તો તેઓ એમ જ કહેશે કે, જોવો અમે એમ નથી કહેતા કે આ થશે જ.
તમારી લાઈફમાં તમારી કુંડળી આગામી દિવસોમાં તકલીફ વેઠવાનો વારો આવશે તો, તમારે તેના માટે તૈયાર રહેવું જોઈએ, નહીં કે બધુ છોડીને ઘરે બેસી રહેવું.
તમે રિલેશનશિપમાં હોવ અને તમે કહેશો કે, હું આમા માનતો નથી, ત્યાર પછી જ્યારે લગ્ન કરશો એટલે સમસ્યાઓ શરૂ થશે.
હવે તમે કહેશો કે, આવું નહો, આવુ તો મે વિચાર્યું પણ નહોતું, પરંતુ જ્યારે તમને કુંડળી જણાવે છે કે આગામી સમયમાં તમને તલલિફ આવશે તો તેના માટે તમારે વધારે પ્રયત્નો કરવા પડશે.
જયા કિશોરી કહે છે કે,કોઈપણ કાર્યને તરત નકારશો નહીં, તેના ઉકેલ તરફ આગળ વધો, ઉકેલ મળે જ છે, પરંતુ તમે માનતા જ નથી તો કુંડળી જોવડાવો જ નહીં, શા માટે શંકાના બીજ વાવો છો.
એસ્ટ્રો અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.