પાણી ભરેલી માટલીમાં છેદ કરી તેને ખંભા પર રાખી પરિક્રમા કરવા પાછળ એક દાર્શનિક સંદેશ છૂપાયેલ છે. એવું કહેવામાં આવે છે કે જીવન એક છેદ ધરાવતી માટલી સમાન છે.
માટલીમાં છેદને લીધે જે રીતે પાણી ટપકી રહ્યું છે, બસ એવી જ રીતે મનુષ્યના જીવનમાં આયુષ્યરૂપી પાણી ક્ષણે ક્ષણે ટપકી રહ્યું છે અને અંતમાં બધુ જ છોડીને જીવાત્મા વિદાય લઈ લે છે.
છેદ કરેલી માટલી સાથે પરિક્રમા કરવા પાછળનો ઉદ્દેશ મૃતક વ્યક્તિ અને જીવીત વ્યક્તિઓ બન્નેનો એક-બીજા પ્રત્યેનો મોહભંગ કરવાનો છે.
છેદવાળી માટલીમાં પાણી લઈ પરિક્રમા કરવા પાછળનું એક કારણ એ પણ હતુ કે પહેલાના સમયમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર ખેતરમાં કરવામાં આવતો.
મૃતદેહના દહનથી જેતે વિસ્તારમાં આગ ન લાગે તે માટે માટલીમાં પાણી ભરીને ચોતરફ પરિક્રમા કરવામાં આવતી.