Rules of Deepjyot: દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જાણો


By Vanraj Dabhi21, Jul 2024 12:34 PMgujaratijagran.com

પૂજામાં દીવો પ્રગટાવવો

પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે.

પૂજા અધૂરી કહેવાય

દીવો કર્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. દીવાના પ્રકાશથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ નિયમોનું પાલન કરો

દીવો પ્રગટાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આનું પાવન કરવાથી વ્યક્તિને ખાસ લાભ મળે છે.

તૂટેલો દીવો ન પ્રગટાવો

દીવો પ્રગટાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો, તૂટેલો દીવો પ્રગટાવવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો

પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાની સાથે સાંજે મુખ્ય દ્વાર પર પણ દીવો પ્રગટાવવો જોઈએ.

ઘીનો દીવો

પૂજા કરતી વખતે જો તમે ઘીનો દીવો પ્રગટાવો તો તેને તમારી ડાબી બાજુ રાખવો જોઈએ અને તેલનો દીવો કરો તો તેને તમારી જમણી બાજુ રાખો.

પૂર્વ દિશામાં દીવો કરો

દીવાને હંમેશા પૂર્વ દિશામાં પ્રગટાવવો જોઈએ, આ દિશા દિવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આર્થિક સંકટમાંથી રાહત

જો તમે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હોવ તો માતાજી સામે ઘીનો દીવો કરો. જેથી ધનલાભ થવાની સંભાવના છે.

વાંચતા રહો

દીવો પ્રગટાવતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવા અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ધન પ્રાપ્તિ માટે લવિંગનો આ ઉપાય ઘરે ચોક્કસ કરો