Astrologi Tips: પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓ ખરીદો, પિતૃઓ થશે પ્રસન્ન


By Bhavesh Chaudhary30, Aug 2024 04:31 PMgujaratijagran.com

પિતૃ પક્ષ

હિન્દુ ધર્મમાં ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાંથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિએ સમાપ્ત થાય છે. તો ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.

પિતૃ પક્ષ શા માટે ઉજવાય છે

આ સમય દરમિયાન પૂર્વજો તેમના પરિવારને મળવા માટે પૃથ્વી પર આવે છે. જેથી તેમને પ્રસન્ન કરવા અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.

કાળા તલ

પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદવું શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે.

જવ

પિતૃ પક્ષ દરમિયાન એવું કહેવાય છે કે, જવ પૃથ્વી પર ઉત્પન્ન થનાર પ્રથમ અનાજ હતું. જેથી આ સમય દરમિયાન જવ ખરીદવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

નવા કપડાં

પિતૃ પક્ષ દરમિયાન નવા વસ્ત્રો અને ખરીદવા શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ-શાંતિના આશીર્વાદ આપે છે.

ચોખા

પિતૃ પક્ષ દરમિયાન ચોખા ખરીદવા શુભ માનવામાં આવે છે અને શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

જાસ્મીન તેલ

પિતૃપક્ષ દરમિયાન જાસ્મીનનું તેલ પિતૃઓને અર્પણ કરવાથી તેનાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

વાંચતા રહો

પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓ ખરીદી શકાય છે. માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભગવાન શિવના 8 બાળકો કોણ છે?