યોગ ચક્રમાં, કળિયુગને ચોથો અને સૌથી અશુદ્ધ યુગ માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, કળિયુગમાં પાપનું પ્રમાણ પુણ્ય કરતાં વધી જશે અને જ્યારે તે ચરમસીમાએ પહોંચશે ત્યારે દુનિયાનો અંત આવશે.
પ્રેમાનંદ મહારાજે કલિયુગ વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે.
કળિયુગને અંધકારનો યુગ પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું છે કે કળિયુગમાં સ્ત્રીઓ, પુરુષો અને તપસ્વીઓ કેવું વર્તન કરશે.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખો, પછીના જીવન વિશે વિચારશો નહીં. કળિયુગમાં વ્યક્તિની સરેરાશ ઉંમર 70 થી 80 વર્ષ હોય છે.
જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વ્યક્તિનું આયુષ્ય પણ ટૂંકું થતું જશે. એક સમય એવો આવશે જ્યારે વ્યક્તિનું આયુષ્ય ફક્ત 20 થી 30 વર્ષનું હશે. કળિયુગમાં પાપ વધતું રહેશે.
પ્રેમાનંદ કહે છે કે, માનવ શરીર બીજું કંઈ નહીં પણ હાડકાંનું હાડપિંજર છે. જીવન બચાવવા માટે ખોરાક નહીં મળે અને લોકો પાણી માટે વલખા મારશે.
મહારાજે કહ્યું કે, પૃથ્વી પર એટલી મોટી આફત આવશે કે સૂવા માટે પણ જમીન નહીં બચે.
કળિયુગમાં જૂઠું બોલવું પાપ માનવામાં આવશે નહીં અને પૈસા માટે ભાઈઓ વચ્ચે ઝઘડો થશે. નાની નાની વાતમાં એકબીજા સાથે ઝઘડા થશે.