હિંદુ ધર્મમમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. ઘરમા તુલસી વાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, અને ઘરની આર્થિક રીતે સમદ્ધ બને છે. પરંતુ તમે જાણો છો તુલસી માત્ર એક પ્રકારની નથી હોતી, તુલસીમા પણ ઘણા પ્રકાર જોવા મળે છે. આવો જાણીએ કયા પ્રકારની તુલસી તમારે ઘરમાં વાવવી જોઈએ
પાંચ પ્રકારની તુલસીમાંથી એક શ્વેત તુલસી જેને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે જેથી તેને શ્વેત તુલસી પણ કહેવાય છે
આ તુલસીના પાન લીલા રંગના હોય છે, અને તે સ્વાદમા પણ મીઠા લાગે છે. આ તુલસીને ઘરમા લગાવવી શુભ માનવામાં આવે છે
આને જંગલી તુલસી પણ કહેવાય છે, આ તુલસીના ફૂલો સફેદ, ગુલાબી અને જાંબલી રંગના પણ હોય છે. જ્યોતિષમાં આ તુલસીને ઘરમાં લગાવા પર મનાઈ ફરમાવામાં આવી છે
ઘેરા જાંબલી રંગના પાંદડાના કારણે આ શ્યામ તુલસીના નામથી ઓળખાય છે. આ ભગવાન કૃષ્ણને પણ ખૂૂબ પ્રીય છે
આના પાન લીંબુના પાન આકારના હોવાથી તેને લીંબુ તુલસી કહેવામાં આવે છે. આ તુલસીમાં વિટામિન સી રહેલું હોય છે
રામ તુલસી અને શ્યામ તુલસીને સનાતન ધર્મમાં મહત્વ આપવામાં આવ્યું છે, જોકે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રામ તુલસીને ઘરમાં વાવવામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે