એવું માનવામાં આવે છે કે સોનાનું દાન કરવું શુભ છે. સોનાનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
એવી માન્યતા છે કે કોઈ પણ ધનનું દાન કરો છો તો એક જન્મનું ફળ મળે છે પરંતુ સોનાનું દાન કરવાથી સાત જન્મોનું ફળ મળે છે.
જો તમે સોનાનું દાન કરો છો તો જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
સોનાનું દાન કરવાથી જાતકોના ઘરનાં સુખ અને સમુદ્ધિ બની રહે છે. સાથે જ અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.
સોનાના દાનનો સીધો સંબંધ ગુરુ સાથે છે. કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ શુભ હોય તો જ તેનું દાન કરવું જોઈએ. જો ગુરુ ગ્રહની નબળી સ્થિતિ હોય તો સોનાનું દાન ન કરવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે સોનાની વસ્તુનું દાન કરતાં પહેલા જાતકે તેની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ અને દશા જરુર તપાસવી જોઈએ.