જો તમારા ઘરમાં પણ લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય, તો તેમની નિયમિત પૂજા કરવી જોઈએ. જેનાથી લડ્ડુ ગોપાલની કૃપા વરસતી રહે છે.
ઘણી વખત ભૂલથી અથવા અન્ય કોઈ કારણોસર લડ્ડુ ગોપાલની મૂર્તિ ખંડિત થઈ જાય છે. એવામાં ગભરાશો નહીં, આજે અમે આ લેખ થકી જણાવીશું કે, જો લડ્ડુ ગોપાલની મૂર્તિ ખંડિત થઈ જાય તો એવામાં તમારે શું કરવું જોઈએ?
જો કોઈ કારણોસર લડ્ડુ ગોપાલની મૂર્તિ અચાનક ખંડિત થઈ જાય, તો સૌ પ્રથમ તો તમારે તેને જોડવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો કે મૂર્તિ જોડતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે, તેમની મૂર્તિનો કોઈ ભાગ અલગ ના થવો જોઈએ. મૂર્તિનો જોડતી વખતે દરેક ટૂકડાને વ્યવસ્થિત રીતે ગોઠવીને પણ જોડવા જોઈએ.
ખંડિત મૂર્તિની પૂજા ના કરવી જોઈએ. આ માટે સૌ પ્રથમ તો ખંડિત મૂર્તિને મંદિરની બહાર નીકાળીને કોઈ સાફ જગ્યા પર રાખવી જોઈએ.
ખંડિત મૂર્તિની ક્ષમા યાચના કરીને તેને ઘરની બહાર કોઈ પવિત્ર જગ્યા પર રાખી દો. જો તમે ઈચ્છો તો ખંડિત મૂર્તિને કોઈ મંદિરની બહાર અથવા કોઈ પવિત્ર વૃક્ષ નીચે પણ રાખી શકો છો.
જ્યોતિષ અનુસાર, ખંડિત મૂર્તિનું વિસર્જન જન્માષ્ટમીના દિવસે જ કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ દિવસે જ નવી મૂર્તિ લાવી શકો છો.