વાસ્તુ અનુસાર કિચનમાં મંદિર હોવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે રસોઈ અગ્નિ તત્વ સાથે જોડાયેલી હોય છે અને પૂજા માટે શાંતિ હોવી જોઈએ.
એવું માનવામાં આવે છે કે કિચનમાં મંદિર રાખવાથી માતા અન્નપૂર્ણા દેવી નારાજ થાય છે. અને કોઈ પણ પ્રકારના શુભ ફળો મળતા નથી.
કિચનમાં ભોજનના વાસણો પણ પડેલા હોય છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને પૂજાનું ફળ મળતું નથી.
પૂજા કરવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. પરંતુ મંદિરમાં રસોઈના કારણે તેનો પ્રભાવ ઓછો થવા લાગે છે.
જો તમે કોઈ કારણસર કિચનમાં મંદિર રાખો છો તો તેનો રંગ લાલ રંગનો રાખવો જોઈએ.
વાસ્તુ અનુસાર ઘરમાં મંદિર માટે અલગ સ્થાન જરુર રાખવું જોઈએ. આવું કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે.