Somvati Amavasya: સોમવતી અમાસ પર શું દાન કરવું જોઈએ? જાણો


By Vanraj Dabhi02, Sep 2024 12:19 PMgujaratijagran.com

સોમવતી અમાસ

સોમવતી અમાસ પર દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ખુશીઓ પણ જળવાઈ રહે છે. ચાલો જાણીએ.

અનનું દાન

સોમવતી અમાસના દિવસે ગરીબોને અનનું દાન કરવું જોઈએ.

કપડાંનું દાન

આ શુભ દિવસે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે.

પુસ્તકોનું દાન

સોમવતી અમાસના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પુસ્તક દાન કરવાથી શિક્ષણના ક્ષેત્રમાં ફાયદો થઈ શકે.

સૂર્યદેવને અર્ધ્ય આપો

સોમવતી અમાસે સૂર્યને તાંબાના વાસણમાં જળ અર્પિત કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.

પૂજા કરો

સોમવતી અમાસે પિતૃઓને તર્પણ અને પૂજા કરી શકાય છે. જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે.

ભોજન પીરસો

આ દિવસે ખાસ કરીને પશુઓને ખવડાવવું જોઈએ. આનાથી જીવનમાં પુણ્ય અને અનેક લાભ થાય છે.

વાંચતા રહો

સોમવતી અમાસના દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી શકો છો. એસ્ટ્રો સંબંધિત અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો ગણપતિ બાપ્પાને ઘરે લાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?