Mahashivratri Puja: ભગવાન શિવને પૂજામાં ચડાવો આ વસ્તુ, તમારી મનોકામના થશે પૂર્ણ


By Sanket M Parekh20, Feb 2025 03:59 PMgujaratijagran.com

મહાદેવની પૂજા

મહાશિવરાત્રી પર મહાદેવની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે તમે અનેક ઉપાયો અજમાવીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ ભગવાન ભોળાનાથને શું-શું ચડાવવું જોઈએ, જેથી તે પ્રસન્ન થાય...

ગંગાજળ

ભગવાન શિવની પૂજા જળ ચડાવીને કરવી જોઈએ, કારણ કે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. સાદા પાણી ઉપરાંત તમે ગંગાજળથી પણ શિવજીને અભિષેક કરી શકો છો. જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

દૂધ-દહી ચડાવો

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવાથી શરીર નિરોગી બને છે અને દહી ચડાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

બિલી પત્ર ચડાવો

ભગવાન શિવને બિલી પત્ર ખૂબ જ પ્રિય છે. પૂજામાં ત્રણ પાંદડા વાળા બિલી પત્ર જ ચડાવવા જોઈએ. જો કે એકવાતનું ધ્યાન રાખજો કે તેને ત્રણની જોડીમાં તોડીને ઊંધા કરીને જ શિવલિંગ પર ચડાવવા જોઈએ.

ચંદનનો લેપ લગાવો

ભોળાનાથને ચંદન ખૂબ જ પ્રિય છે, આથી તેમની પૂજામાં ચંદન ઘસીને તેનો લેપ મહાદેવને લગાવવો જોઈએ. જેનાથી મનોકામના સિદ્ધ થાય છે અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ ફૂલો ચડાવો

ભગવાન શિવને ધતુરા, આકળો અને ચમેલીના ફૂલ ખૂબ જ પસંદ છે. મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથની પૂજામાં આ ફૂલો અચૂક ચડાવવા જોઈએ. જેનાથી મહાદેવ પ્રસન્ન થશે.

પંચામૃત અર્પણ કરો

ભગવાન શિવને પંચામૃત પણ અર્પણ કરી શકો છો, જેનું વિશેષ મહત્ત્વ હોય છે. પંચામૃત બનાવવા માટે દૂધ, દહી, મધ અને ગંગાજળની જરૂર પડે છે. આ તમામ વસ્તુ મહાદેવને ખૂબ જ પસંદ છે.

ભોગ ધરાવો

મહાશિવરાત્રી દરમિયાન પૂજામાં ભોગ તરીકે ખીર, લાડવા, બરફી, હલવો વગેરે ધરાવવા જોઈએ. આમ તો ભોળાનાથને ભાંગ અને ધતુરો ખૂબ જ પસંદ છે, તો તમે તેને પણ ચડાવી શકો છો. જો કે ધ્યાનમાં રાખજો કે, ભૂલથી પણ સિંદુર, તુલસી, હળદર કે લાલ ફૂલ ના ચડે, નહીંતર મહાદેવ નારાજ થઈ જશે.

મહાશિવરાત્રિ પર ભદ્રાની છાયા, જાણો પૂજા કરવાનો યોગ્ય સમય