Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે ના કરવો જોઈએ?


By Sanket M Parekh22, Apr 2025 03:38 PMgujaratijagran.com

હનુમાનજીની કૃપા

હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે વિધિ પૂર્વક પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે ના કરવો જોઈએ

સૂતક કાળનો સમય

સૂતક કાળના સમયે હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. સૂતક કાળ એક એવો સમય છે, જે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ શરૂ થાય છે.આ સમયે કોઈપણ પ્રકારની પૂજા-પાઠ ના કરવી જોઈએ.

માંસ-મદિરાનું સેવન કર્યાં બાદ

માંસાહાર આરોગ્યા પછી કે શરાબ પીધા બાદ હનુમાન ચાલીસાનો પાઠ ક્યારેય ના કરવો જોઈએ. માંસ-મદિરાનું સેવન કર્યાં બાદ હનુમાન ચાલિસાનો પાઠ કરવાથી દાદા નારાજ થાય છે.

સ્નાન કર્યાં વિના

ક્યારેય પણ નાહ્યા વિના હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં શુભ પરિણામ નથી મળતા.

નકારાત્મક વિચાર આવતા હોય

જો કોઈ વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો ચાલી રહ્યા હોય, તો તે સમયે પણ હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. આમ થવાથી પૂજા-પાઠમાં તમારું મન નથી લાગતું.

મહિલાઓએ માસિક ધર્મ વખતે

એવું કહેવાય છે કે, મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ ના કરવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન શરીરમાં કેટલાક પરિવર્તન થાય છે, જે ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતા.

ઉડતો મોર જોવાનો અર્થ અને સંકેત શું? જાણો