આદિકાળથી નારિયેળને હિન્દુ ધર્મના તમામ શુભ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાન પૃથ્વી પર અવતરિત થતી વખતે માતા લક્ષ્મી, નારિયેળના વૃક્ષ તથા કામધેનુને પોતાની સાથે પૃથ્વી પર લઈને આવ્યા હતા.
આ ઉપરાંત પૂજા તથા અનુષ્ઠાન ગણેશજી તથા લક્ષ્મીજીના આશીર્વાદ વગર પૂરા થઈ શકા નથી
ગણેશજીની ઉપસ્થિતિ વગર પૂજામાં સોપારી રાખવામાં આવે છે તો લક્ષ્મીજીની કૃપા માટે નારિયેળ.
નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવાય છે. જેમાં ત્રિદેવ બ્રહ્યા, વિષ્ણુ અને મહેશનો નિવાસ હોય છે.