પારિજાતનું ફુલ કેમ ન તોડવું જોઈએ ?


By Kajal Chauhan04, Jan 2025 05:21 PMgujaratijagran.com

દેવી દેવતાઓેને પ્રિય ફુલો

હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓેને અનેક ફુલો પસંદ હોય છે. તેમને તે અર્પિત કરવાથી સમસ્યા દૂર થાય છે. પરંતુ ચાલો જાણીએ કે પારિજાતનું ફુલ કેમ ન તોડવું જોઈએ.

ભગવાન શિવને પ્રિય પારિજાત

પારિજાતનું ફુલ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેને તોડીને ભગવાનને અર્પણ કરવા કરતાં ખરી ગયેલા પુષ્પો ધરાવવા જોઈએ.

આ રીતે ભગવાનને અર્પણ કરો

જો પારિજાતના ફુલ પહેલાથી જ ખરીને નીચે પડેલા હોય તો તેને ધોઈને સ્વચ્છ કરીને ભગવાનને ચડાવી શકાય છે.

મનોકામના પૂર્ણ થાય છે

એવું કહેવામાં આવે છે કે આ ફુલ ભગવાન શિવને ચડાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ધનલાભ

પારિજાતના કપડાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે અને પૈસાની તંગી દૂર થાય છે.

રાતમાં ખીલે છે ફુલ

પારિજાતના ફુલ રાતે ખીલે છે અને સવારે જમીન પર ખરેલા જોવા મળે છે. માટે આ ખરેલા ફુલોનો ઉપયોગમાં લેવા જોઈએ.

Basil Plant: સપનામાં તુલસીનો છોડ દેખાવાના શું સંકેતો? જાણો તેનો સાચો અર્થ શું છે