Hair Cutting: મંગળવારે વાળ કેમ ના કપાવવા જોઈએ? જાણો તેની પાછળનું કારણ


By Sanket M Parekh17, Dec 2024 04:00 PMgujaratijagran.com

મંગળ ગ્રહની પૂજા

સપ્તાહના સાતે-સાત દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવારના દિવસે મંગળ ગ્રહની પૂજા કરવામાં આવે છે.

મંગળવારનો નિયમ

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારના દિવસનું એક આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે. આ સાથે જ આ દિવસને લઈને અનેક નિયમો બનાવવામાં આવ્યા છે.

નિયમોનું ઉલ્લંઘન

એવું કહેવામાં આવે છે કે, જો મંગળવારના નિયમોનું પાલન ના કરવામાં આવે અર્થાત તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેની ભરપાઈ લાંબા સમય સુધી ભરપાઈ કરવી પડે છે.

વાળ કેમ ના કપાવાય?

ધાર્મિક માન્યતા મુજબ, મંગળવારના દિવસે વાળ ના કપાવવા જોઈએ, કારણ કે આ દિવસ મંગળ ગ્રહને સમર્પિત હોય છે.

દેવાના ડુંગર તળે દબાશો

એવી માન્યતા છે કે, જે લોકો મંગળવારે વાળ કપાવે છે, તેમને દેવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા વ્યક્તિ દેવાના ડુંગર તળે દબાઈ જાય છે.

આયુષ્ય ઓછું થાય

મંગળવારના દિવસે જે વ્યક્તિ વાળ કપાવે છે, તેનું આયુષ્ય ઓછું થાય છે. આ સાથે જ તેને દરેક કામમાં અડચણ ઉભી થાય છે.

મંગળવારે શું કરવું?

મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સાથે જ આ દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી બચવું જોઈએ.

કાળા કપડા પહેરવાથી બચો

મંગળવારના દિવસે કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે. આથી આ દિવસે કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ.

લગ્ન વખતે મંડપ કેમ બાંધવામાં આવે છે ?