ઘરમાં સંપત્તિ વધારવા માટે અપનાવો આ ઉપાયો


By Nileshkumar Zinzuwadiya15, May 2025 03:41 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

ઘરમાં કોઈપણ ઉપયાગ કરતી વખતે વસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુદોષ હોઈ શકે છે

સંપત્તિ વધારવાના ઉપાય

અનેક ઉપાયો એવા પણ હોય છે કે જેથી ઘરમાં સંપત્તિ વધવા લાગે છે. તે સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે

આ દિશામાં તિજોરી રાખો

વાસ્તુ પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં તિજોરી રાખવી શુભ માનવામાં આવે છે. તિજોરીને એવી રીતે રાખો કે જેથી તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે

મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો

ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવો, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. આ સાથે નકારાત્મક ઉર્જાથી પણ છૂટકારો મળશે

વાત દોષ શું છે? જાણો તેના લક્ષણો અને ઉપાયો