હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળયુગના દેવતા કહેવામાં આવે છે. હનુમાનજીનું લૉકેટ પહેરવાથી ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદા મળે છે. જો કે હનુમાનજીનું લૉકેટ પહેરતા સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. તો ચાલો ક્યા નિયમો છે...
હનુમાનજીનું લૉકેટ પહેરવા માટે શુભ દિવસ મંગળવાર અથવા શનિવાર માનવામાં આવે છે. આ દિવસે પૂજા પાઠ કર્યા બાદ હનુમાનજીનું લૉકેટ ધારણ કરવું જોઈએ.
હનુમાનજીનું લૉકેટ પહેરતા પહેલા સ્નાન કરવું જોઈએ. લૉકેટ પહેર્યા પહેલા તેને કોઈ પવિત્ર સ્થળ પર રાખો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો.
હનુમાનજીનું લૉકેટ પહેરનાર લોકોએ બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ. આ માટે પવિત્ર જીવનશૈલી અપનાવવી જોઈએ અને નિતિ વિરુદ્ધના કાર્યોથી બચવું જોઈએ.
હનુમાનજીનું લૉકેટ પહેરતા સમયે મનને સાફ રાખવું જોઈએ અને વિચારોને પવિત્ર રાખવા જોઈએ. લૉકેટ ધારણ કરતા સમયે ખરાબ વિચારોથી બચવું જોઈએ.
હનુમાનજીનું લૉકેટ પહેર્યા બાદ તેની સાફ-સફાઈ કરવાનું ના ભૂલવું જોઈએ. આ સાથે જ લૉકેટને એંઠા હાથે ના અડવું જોઈએ.
હનુમાનજીનું લૉકેટ પહેરવાનો સૌથી મોટો નિયમ શ્રદ્ધા જાળવી રાખવાનો છે. લૉકેટ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પહેરવું જોઈએ. જે તમને નકારાત્મક એનર્જીથી બચાવશે.