શનિ ગ્રહ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે, જેની અસર તમાર રાશિના જાતકો તેમજ દેશ-દુનિયા પર જોવા મળે છે. ટૂંક સમયમાં ન્યાયના દેવતા શનિ અસ્ત થવા જઈ રહ્યા છે, જે કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થઈ શકે છે, તો ચાલો જાણીએ આ લકી રાશિના જાતકો વિશે...
આવતીકાલે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ શનિ દેવતા પોતાની કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે અને 29 માર્ચે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
આ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું ફળદાયી નીવડશે. આ રાશિના જાતકોને જીવનમાં અણધાર્યા લાભ પ્રાપ્ત થશે. વર્ષો જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળશે. ભાઈ-ભાંડુનો સહકાર મળશે.
શનિના અસ્ત થવાથી સિંહ રાશિના જાતકો શત્રુઓ પર હાવિ રહેશે. કોર્ટ-કચેરીને લગતા કામકાજમાંથી મુક્તિ મળી શકે છે. વેપારી વર્ગને અણધાર્યો લાભ મળશે. ધંધામાં સાહસિક કાર્યોમાં સફળતા મેળવી શકશો.
આ રાશિના જાતકોને સંતાન સબંધિત સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. વડીલો તરફથી ધંધાકીય માર્ગદર્શન મદદરૂપ થશે. સુખ-સગવડ માટે નવા સાધનો વસાવવાના યોગ બને.
શનિનો કુંભ રાશિમાં અસ્ત થવાથી આ રાશિના જાતકો હારેલી બાજીને જીતમાં ફેરવી નાંખશો. વ્યવસાયિક મુસાફરી પ્રગતિકારક બનશે. મહત્વના કાર્યો માટે સાનુકુળ તકો મળતી જણાય. સાહસિક કાર્યો દ્વારા ભાગ્યોદયની વૃદ્ધિ થાય.નોકરિયાતોને પ્રમોશનનો ચાન્સ મળે.