શ્રાવણ મહિનામાં શિવ ભગવાનની લોકો પૂજા કરે છે. પૂજા દરમિયાન બીલીપત્ર, ધતુરા, ફૂલ, દૂધ વગેરે ચઢાવવામાં આવે છે, પરંતુ તુલસી ચઢાવવામાં આવતી નથી. તો ચાલો જાણીએ તુલસી કેમ ચઢાવવામાં આવતી નથી.
પૌરાણીક દંતકથા મુજબ, તુલસીનું નામ વૃંદા હતું. જેણે જલંધર નામના રાક્ષસ સાથે લગ્ન કર્યા હતા, શિવ ભગવાને આ રાક્ષસનો વધ કર્યો હતો.
વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે કોઈ તેને મારી શકતું ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીના લગ્નનું વ્રત તોડાવ્યું હતું અને પછી શિવ ભગવાને જલંધર રાક્ષસનો વધ કર્યો હતો.
ભગવાન વિષ્ણુના કપટથી ગુસ્સે થઈને તુલસી (વૃંદા)એ વિષ્ણુને શ્રાપ આપ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ પણ વૃંદાને તુલસી બનવાનો શ્રાપ આપ્યો હતો.
પૌરાણીક માન્યતા છે કે, તુલસી શ્રાપિત છે અને તેના પતિને ભગવાન શિવ દ્વારા વધ કરવામાં આવ્યો હતો. જેથી ભગવાન શિવને તુલસી ચઢાવવામાં આવતી નથી.
ભગવાન શિવની પૂજામાં તુલસી સિવાય શંખ, નાળિયેરનું પાણી, રોલી, હળદર અને કમળનું ફૂલ પણ ન ચઢાવવું જોઈએ.
જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો ગંગાજળ, ભાંગ, ધતુરા, બીલીપત્ર, ચંદન અને પ્રસાદ ચઢાવવો જોઈએ. જેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે શ્રાવણના સોમવારે વ્રત રાખી શકો છો. આ વ્રત દરમિયાન દૂધ, જળ, પ્રસાદ અને ચંદન ચઢાવો.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.