વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુ દોષને ઓછો કરવા કેટલાક અચૂક ઉપાય જણાવવામાં આવ્યા છે. સૂતા સમયે આ વાતોનું ધ્યાન રાખવાથી વાસ્તુ દોષ ખતમ થઈ શકે છે.
ખોટી દિશામાં પગ રાખીને સૂવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જો તમે માત્ર પગની દિશા બદલી દેશો, તો પણ વાસ્તુ દોષની અસર ઓછી થઈ શકે છે.
પગ રાખવા માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ મનાય છે. આ દિશામાં પગ રાખીને સૂવાથી વાસ્તુ દોષની અસર ઓછી થઈ શકે છે.
ભૂલથી પણ પગને દક્ષિણ દિશામાં ના રાખવા જોઈએ. આમ કરવાથી ઊંઘ ખરાબ થાય છે અને વાસ્તુ દોષ પણ લાગી શકે છે.
માથું પૂર્વ દિશામાં રાખીને સૂવું શ્રેષ્ઠ મનાય છે. આ દિશામાં માથું રાખીને સૂનારા વ્યક્તિના ઘરમાં ક્યારેય વાસ્તુ દોષ નથી નડતો.
વાસ્તુ દોષ ઓછો કરવા માંગો છો તો પગની નીચે તાંબાનો સિક્કો રાખી લો. આમ કરવાથી વાસ્તુ દોષની અસર જીવન પર નથી પડતી.
બેડરૂમમાં બેડની દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ અનુસાર, બેડની દિશા બદલવાથી પણ વાસ્તુ દોષ ઓછો થાય છે.