Vastu Tips: માત્ર પગની દિશા બદલવાથી પણ વાસ્તુ દોષ થઈ શકે છે દૂર, આ ઉપાય અજમાવો


By Sanket M Parekh02, Oct 2024 03:42 PMgujaratijagran.com

વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય

વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુ દોષને ઓછો કરવા કેટલાક અચૂક ઉપાય જણાવવામાં આવ્યા છે. સૂતા સમયે આ વાતોનું ધ્યાન રાખવાથી વાસ્તુ દોષ ખતમ થઈ શકે છે.

પગની દિશા બદલો

ખોટી દિશામાં પગ રાખીને સૂવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જો તમે માત્ર પગની દિશા બદલી દેશો, તો પણ વાસ્તુ દોષની અસર ઓછી થઈ શકે છે.

ઉત્તર દિશામાં પગ રાખીને સૂવો

પગ રાખવા માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ મનાય છે. આ દિશામાં પગ રાખીને સૂવાથી વાસ્તુ દોષની અસર ઓછી થઈ શકે છે.

દક્ષિણ દિશામાં પગ ના રાખશો

ભૂલથી પણ પગને દક્ષિણ દિશામાં ના રાખવા જોઈએ. આમ કરવાથી ઊંઘ ખરાબ થાય છે અને વાસ્તુ દોષ પણ લાગી શકે છે.

પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું

માથું પૂર્વ દિશામાં રાખીને સૂવું શ્રેષ્ઠ મનાય છે. આ દિશામાં માથું રાખીને સૂનારા વ્યક્તિના ઘરમાં ક્યારેય વાસ્તુ દોષ નથી નડતો.

પગ નીચે તાંબાનો સિક્કો રાખો

વાસ્તુ દોષ ઓછો કરવા માંગો છો તો પગની નીચે તાંબાનો સિક્કો રાખી લો. આમ કરવાથી વાસ્તુ દોષની અસર જીવન પર નથી પડતી.

યોગ્ય દિશામાં બેડ રાખો

બેડરૂમમાં બેડની દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ અનુસાર, બેડની દિશા બદલવાથી પણ વાસ્તુ દોષ ઓછો થાય છે.

Chanakya Niti: શત્રુઓની દરેક ચાલ નિષ્ફળ જશે, ચાણક્યની આ સલાહ માની તો જુઓ