Mahashivratri 2025: મહાશિવરાત્રી પર કયા રંગના કપડાં પહેરવા જોઈએ?


By Vanraj Dabhi17, Feb 2025 05:51 PMgujaratijagran.com

મહાશિવરાત્રીનું મહત્વ

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે. ચાલો જાણીએ મહાશિવરાત્રી પર કયા રંગના કપડાં પહેરવા જોઈએ.

લીલા રંગના પોશાક

મહાશિવરાત્રીના દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ કારણ કે લીલો રંગ ભગવાન શિવને ખૂબ પ્રિય છે.

કૃપા પ્રાપ્ત થાય છે

મહાશિવરાત્રીના દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવાથી ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શુભ માનવામાં આવે છે

મહાશિવરાત્રી પર લીલા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે અને ધોતી પહેરીને પૂજા કરવી ફળદાયી નિવળે છે.

ઇચ્છા પૂર્ણ થાય

એવું કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી ભોલેનાથ બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

શાંતિ અને ખુશી રહે

મહાશિવરાત્રી પર લીલો રંગ પહેરવાથી પરિવારમાં શાંતિ અને ખુશી આવે છે.

આ રંગના કપડાં પહેરી શકો છો

આ ઉપરાંત, તમે મહાશિવરાત્રીના દિવસે લાલ, પીળો, ગુલાબી, નારંગી અને સફેદ રંગ પણ પહેરી શકો છો, પરંતુ લીલો રંગ વધુ લોકપ્રિય છે.

વાંચતા રહો

એસ્ટ્રો સંબંધિત આવા વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Jaya Kishori: લગ્ન પહેલા કુંડળી મેળવવી જોઈએ કે નહીં? જાણો જયા કિશોરીએ શું...