Centipede Significance: ઘરમાં કાનખજૂરો ફરતો દેખાવાથી શું થાય?


By Sanket M Parekh28, Feb 2025 04:08 PMgujaratijagran.com

ચોમાસું

કાનખજૂરો એક પ્રકારનો કીડો છે, જે ચોમાસામાં વરસાદ વખતે મોટાભાગના ઘરોમાં નીકળતો હોય છે. જો કે ઘણાં ઘરોમાં કાનખજૂરો ગમે તે ઋતુમાં દેખાઈ જતો હોય છે.

ઘરમાં કાનખજૂરો

આજે અમે આપને જણાવીશું કે, હિન્દુ ધર્મ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણ, જો ઘરમાં કાનખજૂરો દેખાય, તો તેનો શું અર્થ થાય? તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ...

પૂજા ઘરમાં કાનખજૂરો દેખાય

જો તમારા પૂજા ઘર અથવા મંદિર વાળા રૂમમાં કાનખજૂરો ચાલતો દેખાય, તે સૌભાગ્યનો સંકેત છે. હવે તમારા ખરાબ દિવસો 'અચ્છે દિન'માં ફેરવાતા વાર નહીં લાગે...

મુખ્ય પ્રવેશદ્વારના ઉમરે દેખાય

જો કાનખજૂરો તમને ઘરના મુખ્ય પ્રવેશદ્વારના ઉમરા, વૉશ એરિયા અથવા પગથિયામાં પેટ ઘસડીને ચાલતો દેખાય, તો સમજો તમારી કુંડળીમાં રાહુ નબળો પડી રહ્યો છે.

કાનખજૂરો અચાનક ગાયબ થાય

જો તમારા ઘરમાં કાનખજૂરો પેટથી સરકીને જતો દેખાય અને આંખના પલકારામાં ગાયબ થઈ જાય, તો સમજી જાવ તમારું કોઈ અટકેલું કામ ચોક્કસ પુરું થવાનું છે.

ઘરના હોલમાં કાનખજૂરો

જો તમને ઘરના હોલમાં બેસવાની જગ્યા પર કાનખજૂરો ચાલતો જોવા મળે, તો સમજી જાવ તમારા ઘરમાં વાસ્તુ દોષ છે. એવામાં તાત્કાલિક કાનખજૂરાને સાવરણીથી પકડીને ઘરની બહાર ફેંકી દેવો જોઈએ.

કિચનમાં કાનખજૂરો દેખાય

જો કાનખજૂરો ઘરના કિચનમાં દેખાય, તો ત્યાંનું વાસ્તું ખરાબ છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

Shani Asta 2025: 'ન્યાયના દેવતા' શનિ થઈ રહ્યા છે અસ્ત, આ રાશિના જાતકોને કરશે માલામાલ