ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા છે. તાંબા પિત્તળ અને ચાંદીના વાસણો આ દિવસે ખરીદવા શુભ માનવામાં આવે છે.
સાવરણીની ધનતેરસના દિવસે ખરીદી શુભ માનવામાં આવે છે. તે સાફ સફાઈ સમુદ્ધિને આકર્ષિત કરે છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ધનતેરસ અને દિવાળીના દિવસે તમે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રતિમા ખરીદી શકો છો. આ દિવસે પ્રતિમા ખરીદવી શુભ માનવામાં આવે છે.
આ સિવાય તમે ઈલેક્ટ્રોનિક સામાન, નવા કપડાં, બાળકોના રમકડાં પણ ખરીદી શકો છો.
જો તમે ધનતેરસ પર મકાન કે પ્લોટનું બુકિગ કરાવો છો તેને શુભ માનવામાં આવે છે.
ધનતેરસના દિવસે કાળા રંગની ચીજો ન ખરીદો. આ સિવાય પૈસાની લેણ દેણ, પ્લાસ્ટિક, તુટેલી ચીજોનું કોઈને દાન ન કરો.