ઘરમાં કયા રંગનું કૂતરું પાળવું શુભ માનવામાં આવે છે ?


By Kajal Chauhan11, Apr 2025 05:38 PMgujaratijagran.com

કયા રંગનો કૂતરો રાખવો જોઈએ ?

ઘણીવાર પોતાના શોખ અને સલામતી માટે કૂતરાને પાળે છે. ચાલો જાણીએ કે ઘરમાં કયા રંગનો કૂતરો રાખવો શુભ છે?

કાળો કૂતરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાળો કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે.

શનિ દેવની કૃપા

શનિ અને કેતુ ગ્રહો મજબૂત બને છે. ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ ગ્રહથી થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

નકારાત્મક ઉર્જા દૂર થાય

ઘરમાં કાળો કૂતરો રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

નજર લાગતી નથી

એવું માનવામાં આવે છે કે ઘરમાં કાળો કૂતરો રાખવાથી ખરાબ નજરથી રક્ષણ મળે છે અને ઘરનું વાતાવરણ પણ સારું રહે છે.

ગ્રહો મજબૂત બને છે

ઘરમાં કાળો કૂતરો રાખવાથી રાહુ ગ્રહ શાંત થાય છે અને જીવનમાં શુભ પરિણામો મળે છે. આ સાથે સમસ્યાઓ પણ દૂર થાય છે.

દુનિયાનો અંત કેવી રીતે થશે? જાણો પ્રેમાનંદ મહારાજની આગાહી