એવી માન્યતા છે કે શનિદેવ જો પ્રસન્ન થાય છે તો વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે અને જીવનમાં ખુશી-ખુશી આવે છે.
જો શનિદેવ નારાજ થાય તો તેમના ક્રોધથી વ્યક્તિગત જીવનમાં ભયાનક સંકટ આવી શકે છે.
શનિદેવને લાલ રંગના ફૂલ ચડાવવામાં આવતા નથી.જેમ કે ગુડહલ તથા ગુલાબનું ફૂલ વગેરે.
એવું માનવામાં આવે છે કે લાલ રંગના ફૂલ મંગળ સાથે સંકળાયેલ છે અને શનિ તથા મંગળ એક સાથે શુભ માનવામાં આવતું નથી.
આ ઉપરાંત હજારીગલનું ફૂલ પણ શનિદેવને ચડાવવામાં આવતું નથી. કારણ કે આ ફૂલ સૂર્યનું પ્રતીક છે.