નાગ પંચમીના દિવસે આ મંદિરોના દર્શન કરવાથી પરેશાનીઓ દૂર થાય છે


By Vanraj Dabhi06, Aug 2024 03:36 PMgujaratijagran.com

આ મંદિરના દર્શન

હિંદુ ધર્મમાં નાગપંચમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ.

તક્ષકેશ્વર મહાદેવ મંદિર

તક્ષક નાગ સાથે જોડાયેલા તક્ષકેશ્વર મહાદેવ મંદિરના દર્શન નાગ પંચમીના દિવસે કરવાથી કાલસર્પ દોષ અને કુંડળીના સર્પદંશ દોષ દૂર થાય છે.

નાગચંદ્રેશ્વર મંદિર

આ મંદિરની ખાસ વાત એ છે કે, તે વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના દિવસે દર્શન માટે ખોલવામાં આવે છે. આ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે.

મન્નારસાલા સર્પ મંદિર

દક્ષિણ ભારતમાં આવેલ આ મંદિરના દર્શન કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અને નાગ દેવતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.

ધૌલીનાગ મંદિર

ઉત્તરાખંડના બાગેશ્વરમાં આવેલ આ ધૌલીનાગ મંદિર કાલિયા નાગ સાથે સંકળાયેલું છે. આ મંદિરમાં પૂજા કરવાથી તમારી દરેક પ્રકારની કુદરતી આફતોથી સુરક્ષિત રહે છે.

કર્કોટક નાગા મંદિર

લોક માન્યતા મુજબ નૈનીતાલના કર્કોટકમાં આવેલ આ મંદિરની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી સર્પદંશનો દોષ દૂર થઈ જાય છે.

પટનીટોપનું નાગ મંદિર

જમ્મુના પટનીટોપ ખાતે આવેલ આ મંદિરમાં નાગ દેવતાની પૂજા કરવાથી વ્યક્તિના જીવન સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વાંચતા રહો

એસ્ટ્રો સંબંધિત અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તુલસીની માળા પહેરાતા પહેલા જાણી લો આ નિયમો?