જ્યોતિષના મતે પૂજામાં કપૂર સળગાવવાની પરંપરા સદીઓ જૂની છે
કપૂરની જ્યોતિ દેવતાના ચહેરાને પ્રકાશિત કરે છે, જે ભક્તના જીવનમાં દિવ્ય પ્રકાશની ઉપસ્થિતિનું પ્રતીક છે.
આ ઉપરાંત અરતીની જ્યોતિ અશુદ્ધિઓને સળગાવવાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ઉપાસક પોતાના આંતરિક આત્મ તથા દિવ્યતા સાથે સંકળાયેલ છે.
જ્યારે કપૂરને સળગાવવામાં આવે છે ત્યારે તે કોઈ જ અંશ પાછળ છોડતું નથી અને સંપૂર્ણ સળગી જાય છે.
આ સંજોગોમાં કપૂરને સળગાવનાર વ્યક્તિ પોતાની અંદરની તમામ અશુદ્ધિઓ અને અહંકારને ખતમ કરીને પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરે છે.
જ્યોતિષશાસ્ત્રના મતે પૂજા-પાઠ દરમિયાન કપૂર સળગાવવાથી પિતૃદોષ તથા વાસ્તુ દોષથી મુક્તિ મળી જાય છે.