સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશજીની પૂજાથી કરવાથી થાય છે. તો ચાલો જાણીએ ગણેશજીની પૂજા બુધવારે જ શા માટે કરવામાં આવે છે?
હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન ગણેશની દિવસ માનવામાં આવે છે. બુધવાર એ બુદ્ધિ પ્રાપ્તિનો દિવસ છે.
એક દંતકથા મુજબ, જ્યારે માતા પાર્વતીએ ભગવાન ગણેશની રચના કરી ત્યારે તે બુધવાર હતો. તે સમયે ભગવાન બુધ પણ કૈલાસ પર્વત પર બિરાજમાન હતા. તેથી બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ છે.
બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે.
બુધવારે 11 વાગે ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ આવે છે.
આ દિવસે ઘરની બહાર નીકળતી વખતે સિંદૂરનું તિલક લગાવવાથી નોકરી અને ધંધામાં સફળતા મળી શકે છે.
બુધવારે ભગવાન ગણેશજીને ઘી અને ગોળ અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
બુધવારના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનું ભાગ્ય વધે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.